જંગલો એટલે સૌનું નિવાસ સ્થાન..અનેક જાતના પશુઓ..હિંસક કે વનસ્પતિ આરોગતાં, માનવ વસ્તિ પણ તેના ભાગ.પેટ ભરાયે સૌ નિજાનંદમાં..સંપથી રહે..મિત્રો પણ બની જાય..ભય કે સંકટની બોલીએ સૌને ચેતવે. એક દિવસ ઘોડો અને સાબર ધીંગે ચડ્યા..ને સાબરના શીંગડે ઘોડાભાઈને ઈજા થઈ. ફરીયાદ કરી મનુષ્યને કે તેને શિક્ષા કરવી છે ..મને મદદ કરો. જો તારે વેરની વસુલાત કરવી હોય તો..મને સવારી કરવા દે..આ તીર કામઠા તૈયાર છે. મનુષ્યે સાબર પર ઘા કરી ઘોડાને વેર વાળવા મદદ કરી. ઘોડો રાજી થઈ બોલ્યો ..કે બોલો કોઈ સેવા કરું. માણસ કહે ભાઈ તારા વડે તો હું જગ જીતું..ને ઘોડો ગુલામ થઈ ગયો. વેર વાળવામાં કેટલું બધું ખોયું…હજુએ ઘોડો વિવેશ થઈ ફરે છે કે..વેરની ઝંઝાળમાં ક્યાં ફસાયો?
ભારતની જીએનયુનિવરસિટિ..ની વાત આવી જ છે. અંદરોઅંદરનું કુસંપ એટલે આ અભિવ્યક્તિની આઝાદીના નામે ઝગડા…જે પાયાની રાષ્ટ્રભાવનાને લૂણો લગાડે જાય છે.દુશ્મનોને પોષી ખુદ ગુલામ થઈ જવું…એવી દીવા જેવી વાત વરતાય છે.ભારતીય સંસ્કૃતિના ગૌરવને સમજવાને બદલે ,આજે આખા વિશ્વને કનડતી..માનવતાને હણતી ધારાના હાથા બનવું…એમાં ક્યાં શાણપણ છે. રાજકીય રોટલા શેકતા તત્ત્વોની નફટાઈ જોઈ …પ્રજાએ જાગવું જ રહ્યું.
રમેશ પટેલ(આકાશદીપ)
A news…Thanks Gujarat Samachar.
(Thanks to webjagat for this picture)
જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટીમાં ભારત વિરોધી થયેલા દેખાવોને પગલે કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયે તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓને આદેશ આપ્યો છે. આ સંદર્ભમાં પ્રથમ ત્રિરંગો જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટીમાં ફરકાવવામાં આવશે.
સૂરજકુંડમાં કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીની અધ્યક્ષતામાં યુનિવર્સિટીઓના કુલપતિઓની મળેલી બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બેઠકમાં યુનિવર્સિટીના કેમ્પસમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેનો સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો હતો.
જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટી(જેએનયુ) પણ કેન્દ્રીય યુનિવર્સિટી હોવાથી તેને પણ આ નિયમ લાગુ પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિયમ સૌ પ્રથમ અમલ(જેએનયુ)થી જ કરવામાં આવશે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ અને વિદ્યાર્થીઓમાં એકતા અને અખંડિતતાની ભાવના કેળવાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી ઓફ હૈદરાબાદમાં દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા પછી દલિત વિદ્યાર્થીઓને નડતી સમસ્યાઓની ચર્ચા કરવા કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયે આ બેઠક બોલાવવાનો નિર્ણય લીધો હતો. જો કે ત્યારબાદ જેએનયુમાં દેખાવો થતાં આજની બેઠકમાં જેએનયુનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.
…………………………………………….
શ્રી નરેન્દ્રભાઈ મોદીની..નૂતન દૂર દૃષ્ટિ એક સશક્ત ભારતના નિર્માણ માટે વેગે ધસી રહી છે..પરિણામો સૌના ભગીરથ યત્નથકી જ હાંસલ થશે. આવો યુવાશક્તિને આદર સાથે વધાવીએ ને વિશ્વમાંગલ્ય માટે, પ્રેમ-કરૂણાની રાહે આગળ વધીએ…
રમેશ પટેલ(આકાશદીપ)
………………………
ઉછાળે જે યુવાની, એ સાચો યુવાન….રમેશ પટેલ(આકાશદીપ)
ઝીલી વાતો જુવાન, તું થાજે જુવાન
ઉછાળે જે યુવાની , એ સાચો યુવાન
તારી છે ખેવના ને, તું ખેવૈયો રાજ
વહે નસનસમાં તારી, રણભેરીનો નાદ
કંડારી કેડી ને, થાજે જ બાગબાન
ઉછાળે જે યુવાની , એ સાચો યુવાન
નવયુગ છે કૌવતનો , ખૂંદજે બ્રહ્માંડ
ઢાલ જ તારી સંસ્કૃતિ, મા વસુધાની શાન
તારી જુવાની છે , મહા વિપ્લવની આગ
ઉછાળે તું જુવાની તો જ સાચો જુવાન
ધરી હાક ગજવજે તું અંબર જુવાન
ઉછાળે જે યુવાની, એ સાચો યુવાન
રમેશ પટેલ(આકાશદીપ)
આવી કનિષ્ઠ વિચાર ધારે ભારત ગુલામ બન્યો .
ખુબ સરસ શબ્દો મળ્યું કાવ્ય સાથે જંગલ વૃતાંત
Bahuj saras. Samay sar koi nakkar pagla na levayto Bharat fari gulamina sakanjama jai pahochashe evu lagi rahyu chhe. Shu shahidoni shahadat ele jashe?