Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

વિશ્વ કવિતા દિવસ-

આકાશદીપ

સાહિત્યકારનું મન સદાય પ્રકૃતિ અને ગેબી ચેતના ઝીલી ,પ્રસાદી રૂપે

આ સંસારને અમૃત વર્ષાથી ભીંજવે છે. સાહિત્યમાંની વિધવિધતા અનેક

ભાષાઓ  તથા સંસ્કૃતિની ધરોહરથી ચીરકાળ શોભતી રહી છે. કવિનું મન

સતત ઢૂંઢતું ઝરણું બની વહેતું રહે છે અને કવિતાના પુષ્પો મનને

સદા સુગંધે બહેલાવતા રહે છે. મારા ‘ઉપાસના’ કાવ્ય સંગ્રહની

મારે એક કવિતા લખવી છે....ની કવિ હૃદયની

આ તડપન પણ ઝીલવાની મજા માણશો….

Thanks to webjagat for these pictures

મારે એક કવિતા લખવી છે.રમેશ પટેલ(આકાશદીપ)


હું  નથી  શંકર  કે  પુનિત  હિમાલય

પણ ઊર્મિ ગંગાને મસ્તકે ઝીલવી છે

મારે એક કવિતા લખવી છે


સૃષ્ટિ સરજનહારની અજબ બલિહારી છે

લઈ સપનો  રોજ સવારે સૂરજ આવે છે

પા પા પગલીઓ  ભૂલકાંઓ દોડી માંડે છે

મારે એક કવિતા લખવી છે


ધવલ   ચાંદની   સંગે  સાગર  ઘૂઘવે  છે

હાથમાં   હાથ  પરોવી  યુવાની મલકે  છે

મન મોજાંને  શબ્દ  ચાંદની  ઝીલવી  છે

મારે એક કવિતા લખવી છે


મધ      દરિયે    ચક્રવાતો    જાગે    છે

મહા  તાંડવ   સંગ…

View original post 70 more words

આકાશદીપ

બાળગીત…..

વસંતના વધામણા કેલિફોર્નીઆ ખાતે પગરણ માંડે અને

સાથે સાથે ગરમી ધીરે ધીરે છૂપી છૂપી રીતે ડોકાતી જાય.

અહીંના ડુંગરો અત્યારે વરસાદથી તૃપ્ત થઈ,મનોહર

લીલા રંગોથી ઝૂમી રહ્યા છે.આંખોને ઠંડકથી ભરતા

અને વનરાજીમાં પંખીઓ મજાનાં ગીતો પોતાના પરિવાર

સાથે ગાતાં સંભળાય છે.

પ્રકૃત્તિ ખોળે રમવું એ પણ  જીવનનો  એક લ્હાવો છે.

ભારતના સમૃધ્ધ નદી કિનારા અને વૃક્ષોથી ઝૂમતા અને

વહેતા ઝરણા જોઈ સરી પડેલી પંક્તિઓ…

ભૂખંડે   ભમી   ભમી   ભાળી  ભલી  ભોમકા

અહા! શું ઐશ્વર્ય પગટે ધરાનું  ધરી  દિવ્યતા

દીઠા  ધોધ   ધસમસતા  શિખરેથી   ખીણમાં

ગજાવતા  કંદરા  નિજ  મસ્તી  ભર્યા  જોશમાં

……..    …….

હમણાં એક સમાચાર પત્ર માંસુંદર ચકારાણાનો

ફોટો આપી તેમના ઘરોની સુવિધા ઓછી થતાં

ઘટતી જતી સંખ્યા ની વાત વાંચી બાળપણની

યાદ મનમાં રમી ગઈ.

આપણા ગામના ઘરોની બાંધણી એવી હતી કે

ચકાચકી એ આપણા ઘરનાજ સભ્ય થઈ જતા.

મારા બાળપણમાં તેમને બે છતની પીઢોની

વચ્ચેની જગ્યામાં નીચે પૂંઠું  લગાવી માળા

બનાવી તેમના પરિવારને ચણ ખવડાવવાની

મજા લૂંટેલી તે યાદ…

View original post 174 more words

વારાણસી ડાયરીઝ : 5

સાભાર- આજનું વારાણસી

જરા અમથી વાત ...પ્રીતિના મનની અટારીએથી ..

12/3/2023.

આજે ફરી બનારસ ભ્રમણ કરવાનું હતું. અહીં તો મંદિરોની નગરી છે. ગઈકાલવાળા રિક્ષાવાળા છોકરાઓને સવારે 8:00 વાગે બોલાવેલા. બધા હવે બનારસ જોવા રવાના થયા.

અત્યાર સુધી પ્રાચીન કાશી બનારસ સાંકડી ગલીઓ, ઉબડ ખાબડ રસ્તાઓનું મેં દોરેલા શબ્દ ચિત્રના આજે લીરેલીરા બનીને ઉડવાના હતા. એક નવું બનારસ ઉર્ફે વારાણસી નામે સ્માર્ટ સિટી આંખ સમક્ષ તરવા માંડી. આધુનિકતાના રંગે રંગાયેલી. સરકતી કાર, ડિવાઇડર વાળા પહોળા રસ્તાઓ, મોટા મોટા શોરૂમ, વિવિધ પેઇન્ટિંગ ના કપડા પહેરાવેલા ફ્લાયઓવર બ્રીજ, મોલ સાથેનું આધુનિક વારાણસી જોતા યાદ આવ્યું કે હા આ તો સ્માર્ટ સિટી છે. ટ્રાફિકજામ ખરો પણ કંટાળો લાવી દે એવો નહીં. રવિવાર હોવાથી મોટાભાગની દુકાનો બંધ હતી. સવારનો સમય હોવાથી ટ્રાફિક પણ ઓછો હતો. અચાનક એક વિન્ટેજ કાર નજરે ચડી. રોલ્સ રોઇસ… આગળથી નહીં પાછળથી ચાલુ રિક્ષાએ ફોટો લીધો. એ રીક્ષા ઓટો રીક્ષા ની ઝડપે ચાલતી ન હોવાથી ધીરે ધીરે સરકતી હોય એટલે આંખોના એક્સરેથી પૂર્વક બધું જોઈ શકાય એ એનો લાભ.

પહેલાં મણી…

View original post 522 more words

૭૪ પ્રજાસત્તાક દિન- જય હિન્દ જય જય તારો.

આકાશદીપ

ભારતના ૭૨ મા પ્રજાસત્તાક દિને ખૂબ ખૂબ અભિનંદન, કોરોના મહામારીના વૈશ્વિક પડકારો, સરહદ પર તંગદિલી, આતંકવાદી ખતરા, ખેડૂત આંદોલન , આર્થિક ગ્રાફ વગેરે સામે દેશનું સુકાન સંભાળી ,લોકશાહી રીતે સૌ દેશહિતને આગળ ધપાવે…એવી શુભેચ્છા 

જયહિન્દ જયઘોષ ત્રિરંગા….રમેશ પટેલ(આકાશદીપ)

શિર સાટે સોગંદ અમારા,

પાવન હિમાલય ગંગા

નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું,

તારી શાન ત્રિરંગા

વિશ્વ ધરોહર ભૂમિ અમનની,

કેસરીયાળી ક્યારી

ભારતની એ અમર સંસ્કૃતિ,

ઝૂમે હરિયાળી પ્યારી

લાલ કિલ્લાએ શોભે કેવો,

અમર યશ સહભાગી

સુજલા સુફલા ધરા મંગલા,

ધન્ય અમે બડભાગી

લઈ સંદેશો ભારત ભોમનો,

ચંદ્ર ભૂમિએ ફરકે

ઝીલી સલામી કોટી બાહુબળી,

આજ ત્રિરંગો હરખે

નીલ વર્ણું ચક્ર અમારું,

પ્રગતિ તણું પયગમ્બર

જયહિન્દ જયઘોષ બુલંદી,

ગાજે સપ્ત સમંદર

ધરી હામ લડશે લડવૈયા,

જય જય જોમ અમારું

ધૂળ ચાટશે આતંકી ઓળા,

સ્વાભિમાન ત્રિરંગા તારું

નહીં ઝૂકીએ ન ઝૂકવા દેશું,

રંગ ધરશે રખવાળાં

નહીં ભૂલીએ બલિદાનો વીરા,

અમર જ્યોત અજવાળાં

રમેશ પટેલ(આકાશદીપ)

View original post

આકાશદીપ

વસંત પંચમી..કુદરતનું વૈભવ સજવાનું મંગલ મૂર્હત. માત સરસ્વતીનો પ્રાગટ્ય દિન. ધીરે ધીરે વનરાજી પ્રફૂલ્લિત બની લહેરાવા લાગે, ને શિતલ વાયરા કલશોર ઝીલતા સંગીત છેડે.

કોને ના ગમે આ આનંદોત્સવ?

વસંત પંચમી..માત સરસ્વતીનો પ્રાગટ્ય દિન. આવો તેની પુરાણ કથાનું  મનન કરીએ….

ભગવાન બ્રહ્માજીએ બ્રહ્માંડમાં જીવની રચના કરી, પણ રચના બાદ સઘળે ખામોશી જોઈ ખુશ ના થયા. એટલે ભગવાન વિષ્નુની અનુમતિ લઈ, પોતાના કમંડલમાંથી 

જળનો છંટકાવ આ અવનિ પર કર્યો…ને એક કંપન પેદા થયું.આ કંપનના કારણે 

એક ચતુર્ભુજ દેવીનું સર્જન થર્યું…જેના એક હાથમાં વીણા, બીજા હાથમાં પુસ્તક, ત્રીજા હાથમાં માળા ને ચોથો હાથ વરદ મુદ્રામાં હતો. બ્રહ્માજીએ દેવીને વીણા વગાડવા આદેશ કર્યો ને એના મધુરનાદથી , પૃથ્વીના જીવજંતુઓને સ્વર પ્રાપ્ત થયો.

 નદીઓ-ઝરણાં ખળખળ અવાજ સાથે વહેવા લાગ્યાં. પવન સૂસવાટો કરવા લાગ્યો..

પ્રકૃત્તિ ઉત્સવ ઉજવવા લાગી. એટલે મહાસુદ પાંચમ એ વસંત પંચમીનો શુભ દિન.  વાણી પ્રદાન કરનારી દેવી એટલે માત સરસ્વતીના પ્રાગટ્યથી, આપણે બુધ્ધિ, જ્ઞાનના પ્રતાપે જીવનમાં પ્રફુલ્લતા પ્રગટાવી દીધી.

 સૃષ્ટિના સર્જનહારની પુત્રી એટલે માત સરસ્વતીને ભાવથી વંદન કરીએ. 

………..

વસંત પંચમી એટલે,  સંત વિભૂતિ શાસ્ત્રીજીનો જન્મ દિવસ. ભગવાન સહજાનંદના ..એ તૃતિય આધ્યાત્મિક અનુગામી  , સન ૧૮૬૫માં, ચરોતરના મહેળાવ ગામે જન્મ્યા, ને ૧૯મે વર્ષે સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે દીક્ષા લઈ ‘યજ્ઞપુરુષદાસ’ નામ ધારણ કર્યું.પ્રખર વક્તા ને તપસ્વી સાધુતા સાથે, સ્વામિનારાયણ ભગવાનનો સિધ્ધાંત પ્રવર્તવા માટે, બોચાસણ મુકામે, ચાર શિષ્યો સાથે ‘ બોચાસણ અક્ષર પુરૂષોત્તમ સંસ્થા’..બી.એ.પી.એસ(BAPS)ની સ્થાપના કરી.પ. પૂ.યોગીજી મહારાજ ને પ.પૂ. પ્રમુખ સ્વામીએ, સાચે જ સમાજને નવપલ્લિત કરી ,વાસંતી ચેતના ફેલાવી દીધી છે..એનું આજે વિશ્વ સાક્ષી છે.

રમેશ પટેલ(આકાશદીપ)

…………..

વધાવો પંચમ વસંતની…રમેશ પટેલ(આકાશદીપ)

 

પવન પમરાટે વાગી પીપૂડી

વન-…

View original post 122 more words

ચંદ્ર પર જવા પૃથ્વીવાસી , યાન દ્વારા સતત યત્ન થકી ઉત્સાહિત છે. કદ પ્રમાણે ગુરુત્વાકર્ષણ બળ ત્યાં ઓછું છે.. પાણી ને વાતાવરણ જીવન વિકાસ માટે આવશક્ય છે. ચંદ્ર પર પ્રથમ પગ મૂકનારન સાહસ વીર ને શતવંદન.

આકાશદીપ

 ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર અવકાશ યાત્રી આર્મસ્ટ્રોંગ….

વિરાટ બ્રહ્માંડમાં  દીઠી ધરા મારી સલુણી
રમે નભે  દ્ર્ષ્ટિ તો  હૈયે  રમે કોટિ કહાણી
હશે  જ કેવો  રૂડો આ ચાંદ પૂંછું હું મનને
દઉં સલામી જ આર્મસ્ટ્રોંગ ચૂમ્યા ચંદ્રભૂમિ
રમેશ પટેલ(આકાશદીપ)

Apollo 11 astronauts Neil Armstrong and Buzz Aldrin, the first men to land on the moon, plant the U.S. flag on the moon’s surface on July 20, 1969. Armstrong, the first man to walk on the moon and a former Navy fighter pilot, died Aug. 25 at 82, according to his family.

NASA via APApollo 11 astronauts Neil Armstrong and Buzz Aldrin, the first men to land on the moon, plant the U.S. flag on the moon’s surface on July 20, 1969. Armstrong, the first man to walk on the moon and a former Navy fighter pilot, died Aug. 25 at 82, according to his family.

(Thanks to webjagat for this picture and details)

His first words after the feat are etched in history books and the memories of the spellbound millions who heard them in a live broadcast.

“That’s one small step for man, one giant leap for mankind,” Armstrong said. He insisted later that he had said “a” before man, but said…

View original post 426 more words

આકાશદીપ

કવિશ્રી કાન્તના અતિજ્ઞાનપરથી પ્રેરણા લઈ રચના કરી છે. પ્રદૂષણથી ત્રસ્ત વિશ્વ, અવનિની રચના , કુદરતી વૈભવ સાથે પ્રગતિના નામે છેડછાડ ને કોરોનાની ઘાતક અસરની , તથ્ય આધારિત પ્રાસંગિક છંદોબધ્ધ આ કૃતિ છે.

રમેશ પટેલ(આકાશદીપ)

મહામારી કોરોના –  ખંડ કાવ્ય

 છંદ- વસંતતિલકા

કષ્ટી વહે  વલવલીસરિતા  મલિની

દૂષિત પાવન સુધાનિજ માનવોથી

નિસ્તેજ છે રવિ નભેનિત ધૂમ્ર ગોટે

કંગાલતા નિરખ ઓવદતી વસુધા

 

નિરભ્ર  વ્યોમ રજની   ,અલોપ તારા

ને વ્યોમ ઝાંખપ હણેનભ નૃત્ય લીલા

   શુક્ર  તેજ  ડરતું,  વલખી  ઝબૂકે

ને  વાયુ  દૂષિત વહી , અભડે જ  અંગે

 

દીધું હતું અવરથીરૂપ શ્રેષ્ઠ ભાગ્ય

ને અમૃતા જલભરીસરિતા જ મૈયા

ઐશ્વર્ય  ઝૂમતું  વનેહરિતા રસીલું

ઊડી  ભમે કલરવે,  રૂપલા વિહંગો

 છંદ-અનુષ્ટુપ

વિનવે   વસુધા  

View original post 622 more words

પતંગ એક નામ અનેક…

આકાશદીપ

આભાર દૈનિક દિવ્યભાસ્કર (ગુજરાત) અને લેખકશ્રી

પતંગ એક નામ અનેક

મનીષસિંહ રાઠોડ

પતંગના જુદા જુદા આકારને ધ્યાનમાં રાખીને આપણે તેને ચીલ, ઘેંસિયો, બામચી, આંખેદાર, ચાંદેદાર કે લકડેદાર કહેતા હોઇએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે ઇટાલી, ચીન, ફ્રાન્સ, જર્મની વગેરે જેવા દેશોમાં પતંગને શું કહેવાય છે? કોઇ દેશમાં પતંગને ચંદ્રમા સાથે સરખાવીને તેનું નામ પાડવામાં આવ્યું છે, તો કયાંક તેને સીંગોવાળા હરણ, આગ ઓકતા ડ્રેગન, રમકડાં અથવા તો તારોગણીને રસપ્રદ અને રોચક નામ આપવામાં આવ્યાં છે. ભારતના પાડોશી દેશ ચીનમાં પતંગ ‘ફંગચંગ’ નામે ઓળખાય છે. ‘ચંગ’નો ઉલ્લેખ રામચરિતમાનસમાં ખુદ તુલસીદાસે પણ કર્યો છે. જેમાં ભગવાન રામ ચંગ(પતંગ) ઉડાવે છે. મલેશિયાના રોજર ટેન્ગે કહ્યું હતું,‘અમારી પરંપરાગત પતંગનું નામ ‘વા¸ બુલન’ છે. જેનો અર્થ ચંદ્રમાનો પતંગ થાય છે.’ ઇન્ડોનેશિયાની ભાષામાં પતંગને ‘રારે એન્ગોન કહેવાય છે. બાલીથી આવેલા ઇદાબાગુસ ઉગ્રસેના નરેન્દ્રે કહ્યું હતું,‘બાલીમશિ ભાષામાં પતંગને ‘લ્યાંગ-લ્યાંગ’ કહેવાય છે. જે ભગવાન શિવનો આભાર માનતો શબ્દ છે.’ એવી જ રીતે સ્પેન અને એકવાડોરની બોલચાલની ભાષા…

View original post 208 more words

આકાશદીપ

બાર રાશિ ચક્ર..એટલે દરેક મહિને સૂરજદાદા એક રાશિમાંથી બીજી રાશિમાં  મંગલ પ્રવેશ કરે..આજ આપણી સંક્રાંતિ. સૂરજદાદા હૂંફ દેવા પધારો એવી પ્રાર્થના સહજ રીતે સ્ફૂરે..

એટલે કે ધનારકથી મકર રાશિમાં પ્રવેશનું ટાણું, એ આપણું પુણ્યવંતું પર્વ ‘મકર સંક્રાંતિ’.

તલ ઘીગોળ,અન્ન શાકભાજીના થાળ મા ધરણી સંતાનો માટે ધરે ત્યારે,  ઋષિમુનિઓ દ્વારા જનકલ્યાણ નિમિત્તે દાનધર્મની સામાજિક વ્યવસ્થાનું કલ્યાણકારી 

આયોજન હતું. 

આજે તો

પતંગ રસિયા માટે પતંગોત્સવ એટલે ઉમંગનું વાવાઝોડું. 

નયનોના પેચ,હૈયાંનો શોર એટલે જ ગુજરાતનો ચરમસીમાએ ઝૂમતો રોમાંસ. 

પતંગોત્સવ રોજી દે છે પણ પક્ષીઓને સજા ના થઈ જાય એવી જાગૃતિ…

એ જ માનવતા ને સાચો ઉત્સવ.

૧૪ જાન્યુઆરી એટલે અમારો મનગમતો તહેવાર…પતંગ, જલેબી ,ઊંધિયું ને ગીતમાળા સાથે આકાશે પતંગ સમ લહેરાવાની મજા જ મજા.

સૌથી મોટો પતંગ નેધરલેંડે ૫૫૩ચોંમીટર નો ૮ ઑગષ્ટ ૧૯૮૧ ના રોજ ,આઠ જણની ટોળીએ ચગાવેલ..ચાલો ત્યારે ઉડાડો પાવલો ને ઘેંસિયા કે ફૂદ્દી.

સંકલન…રમેશ પટેલ(આકાશદીપ) –આધાર- ભાટી એનની લેખમાળા.

Image result for પતંગ

(Thanks to webjagat for this picture)

કવિશ્રી રમેશ પારેખ પતંગ

 

દોર બાંધીને છોડ્યો  છે  મનનો ઉમંગ

ઊડે આભે  થઈને ઉતરાણની પતંગ

હોય  દોર હાથમાં  ને  હોય  દોસ્ત સાથમાં

તો તરત ઊડી પતંગ નભને લઈ લે બાથમાં

પતંગ સંગ રંગ- રંગનાં લગાવી  ફૂમતાં

પતંગ થઈ મનુષ્યના નભે ઉમંગ ઘૂમતા

કેટલા ખેલ્યા હતા તેં જંગખુદા પૂછશે

તેં લૂંટ્યો‘ તો કેટલો ઉમંગખુદા પૂછશે

કેટલી ઉત્તરાણમાં આભે ચડાવીતી પતંગ?

તેં જીવનમાં કોને

View original post 552 more words

નૂતન વર્ષાભિનંદન..૨૦૨૩..કાવ્ય અમૃત..

 ૧, જાન્યુઆરી, ૨૦૨૩…નૂતન વર્ષ એટલે ભાવિને શુભ સંકલ્પોથી વધાવવાની ઘડી. ૨૦૨૨ માં વિશ્વે કોરોના મહામારી, યુધ્ધ ને આતંક સાથે પર્યાવરણ દૂષણની જાતે સર્જેલી ઉપાધીઓ વેઠી. સમય સમયે પડકારો ઝઈલી આગળ વધવા કમર કસવાનો અવસર એટલે નૂતન વર્ષની મંગલ કામના. આકાશદીપ” બ્લોગ ને આંગણે આપ સૌના પ્રતિભાવોની લહરે ,નવલી રચનાઓનો વિહાર.ઝગમગતો રહ્યો  એનો આનંદ છે… એ યાત્રામાં આપના સંગાથથી  માતૃભાષાના વૈભવને માણતા રહીશું.. એ  સંકલ્પ સાથે સૌને નૂતન વર્ષાભિનંદન... Happy New Year.

કળસૂત્રી કલદાર-

ગત વર્ષને અલવિદા રે

નૂતન વર્ષને જુહાર

ટકટક કરતી હાલતી થાતી

સમયતણી વણઝાર

એજ સૂરજ ને એજ વસુધા

સ્વપ્ન નવલ શણગાર

દેજો આશિષ તેજ કરૂણા

વંદીએ, ધન્ય તમે દાતાર!

નભ મંડળે રંગ માંડવો

શુચિ કેસરિયા રે ભોર

શીતલ લહરે ઉર ઝૂમે

કેવાં મધુરાં આ કલશોર

રૂક્ષ રૂપલાં  ક્ષણ ઝભલાં

ઋતુ સરીખડાં ઉપહાર

ગાતા રહેજો ગીત મંગલા

છે કળસૂત્રી કલદાર

ખેતર વાડી ડુંગર ક્યારી

દે ખોબલે જ ઉપહાર

ટકટક છોડી હાલજો તાલે

સંગે, રૂડી આ વણઝાર

રમેશ પટેલ(આકાશદીપ) 

 ..,

નવા વર્ષનો સૂરજ……

દૂર ક્ષિતિજે ઊગ્યો જૂઓ

નવા વર્ષનો સૂરજ

હિમ શિખરો ઝળહળ તેજે

દિવ્ય સુવર્ણ ગુંબજ

શ્યામ ધવલા નાચે વાદળ

ઝૂમતા  લીલા  ઝોલા

ઊડી ઊડી પંખી નાના

ખોલતા કલરવ ખોળા

ખીલ્યાં ફૂલડાં પ્રેમ સંદેશે

હૈયું હીંચાવું ઉમંગે

મંગલ દર્શન મંગલ મનડે

ત્યજું વેર સૌ સંગે

આશ  અટારીએ  ઊભો   હું

સજાઉં સ્વપ્નો ભાવિના

સંગમ યુગ પગરવ જ માણું

ગાઓ  ગીત   ખુશીના

યુગ નવલો આંબે ગગન

અંતર  હજો  નિર્મળ

નૂતન  વર્ષે  પ્રાથું  પ્રભુ

ભાતૃભાવ હો સજળ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

નૂતન નૂતન હો નૂર જગનાં….રમેશ પટેલ(આકાશદીપ)

નૂતન નૂતન હો નૂર જગનાં
દેજો પ્રભુજી એવાં અજવાળાં(૨)
સોનેરી  આભે  શંખ  જ ધ્વનિ
સૂણું   હું  રે  જગત્રાતા
જલ થલ ઉપવન દે આવકારો
અખિલ બ્રહ્માંડે તું દાતા(૨)
ભગવદ ચૈતન્ય હો ઉર ખજાના
દેજો  પ્રભુજી  એવાં  અજવાળાં(૨)
કલ્યાણ જ્યોત જ ઝબકે હૈયે
હો અભય હર ઘર ગાણું(૨)
પુનિત પ્રભાતે ઓ દિવ્ય ચેતના
મંગલ આશિષ માગું(૨)
ઋતુ ચક્રો નિત ખીલજો રૂપાળાં
દેજો  પ્રભુજી  એવાં  અજવાળાં
ગીત મધુરાં ગાજો પંખીડાં
હો  નૂતન  યુગનાં મંડાણાં(૨)
ભાવ ધરી પ્રાથુ ભોર વંદના, મન શાન્તિનાં સુખ દેજો શ્રીફાળાં
…..સુખ દેજો રૂપાળાં
દેજો પ્રભુજી એવાં અજવાળાં(૨)
રમેશ પટેલ(આકાશદીપ)
સાભાર- સંકલન
“કાવ્ય અમૃતનું  ભક્તિ આચમન”
         
   દેશવિદેશમાં કેટલાક માતૃભક્તો  માતૃભાષાનો  ત્રિરંગો સદાકાળ લહેરાતો રહે, એ જ સંકલ્પે કર્મસ્થ રહે છે.ખરા અર્થમાં આઝાદીના અમૃત  મહોત્સવની ભગવાઈ પણ એમને જ વરતી હોય છે. એવા ભાષાના ભગવાધારી છે શ્રી નિમીષ પટેલ .
 જેમણે ગુજરાતી  ભાષાની ધરોહરને અમેરિકા ખાતે જાળવવા કાજે “દેશ પરદેશ” સામયિકને પ્રગટાવી ખરા અર્થમાં 
નરસિંહી મશાલ પ્રગટાવી છે. જેને સમર્થન 
જૂનાગઢી ધરાના જ તેજસ્વી સપૂત સમીર રાવલે આપી આઝાદીના અમૃત  મહોત્સવને ઐતિહાસિક કાવ્ય સંગ્રહ “કાવ્ય અમૃત “ના પાને-પાને “ભારત અમર રહે”ના નારે-નારે આપણને  લલકારતા કરી દીધાં છે.
   
    મૂળ દેશભક્તિ શૌર્ય ગીત કાવ્ય સંગ્રહ   “કાવ્ય અમૃત”ના   આ પડકારની કડીઓને
વણનારા છે દેશપરદેશના બ્રાંડ એમ્બેસેડર અમદાવાદ નિવાસી સંપાદક  ઈવા  પટેલ. જેમની દીર્ઘ ચૈતન્ય દ્રષ્ટિએ જ દેશપરદેશના નિર્માતા માનનીય નિમીષ પટેલના આદેશથી પહેલી જાન્યુઆરી 2022 ના રોજ દેશ ભક્તિ શૌર્ય ગીત સ્પર્ધાની જાહેરાત કરી, દેશવિદેશના નવોદિતોમાં દેશભક્તિની ભાવોર્મિઓ જગાડી, ત્રણ દિવસમાં જ એકસો અગિયાર  કાવ્યો પ્રાપ્ત કર્યા. જેના અવિરત ભક્તિ પ્રવાહથી ભીંજાઈને જ નિમીષ ભાઈ તથા એમના સાથીઓએ એ કાવ્યોને પુસ્તક આકારે મઢી લેવાનો અભરખો જાગ્યો. જે ઐતિહાસિક સ્વરૂપ લેશે જ એવી શ્રધ્ધા સૌને જાગતા, એ વિશે એમણે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ, તથા ગ્રુહ રાજ્ય મંત્રી હર્ષ ભાઈ સંઘવીના શુભેચ્છા આશિષ પણ પત્ર સંદેશ રૂપે મેળવ્યા.  પ્રજા ગણતંત્ર  દિને જ એ સ્પર્ધાના પરિણામ તથા મુખપૃષ્ઠ પ્રાગટ્યના અવસર ઉજવાયા. જેમાં 75 જેવા સ્પર્ધકોએ “આઝાદી અમર રહે” ના નારા લગાવી ગ્રંથના ઝબકારો ઝીલ્યા. આજે જ્યારે” કાવ્ય અમૃત ” પ્રાગટ્ય એના વાર્ષિકોત્સવના આરે આવી ઉભું છે. ત્યારે
એમાં સીંચીત કાવ્યરસનું આપણે આચમન
કરી, આઝાદીના અમરત્વને નવ્ય ભક્તિથી સીંચવાનું સત્કર્મ કેમ ન કરીએ?  એ સંદર્ભે જ એનાં  કેટલાક દ્રષ્ટાંતોનાં અજવાળાં પાથરી રહ્યો છું. 
” વાતની સામે વાત નીકળશે, આગની સામે
આગ નીકળશે,
 કોઈ નથી રખવાળ અહીંનું એવું ના તું ધારી લેજે,
  કાશ્મીરના એક એક કણમાં એક એક હિંદુસ્તાન નીકળશે. “
 વિપુલ માંગરોલિયા “વેદાંત”, પ્રથમ વિજેતા 
“ઝળહળ યુવાની દેશ પર કુરબાન કરતા વીરલા,
ઉગતા સૂરજની ઠાઠડી શણગારવાના ક્યાં સુધી?”
 ડો માર્ગી દોશી ,દ્વિતિય વિજેતા
“કિનખાબ, મખમલ ,મશરુનું શું કામ છે?
ત્રિરંગો રહે અમર બસ એ એક આશ છે.”
‘કાવ્યાલ્પ’ અલ્પા વસા ત્રુતીય વિજેતા
 
“સમય ચક્રનો શંખ ફૂંકાયો,
  ખમીર ખેલશે ધીંગાણાં.
  નવયુગની રણભેરી વાગી,
   જય હિંદ શમશેરી  ગા’ણાં.”
રમેશ પટેલ “આકાશ દીપ’ અમેરિકા 
   ઝળહળંતી યુવાનીની શહીદીથી સૂરજની ઠાઠડીનો શણગાર, આ દેશ કેવી રીતે અને ક્યાં સુધી સહી શકશે? જેનાં એક એક કણમાં એક એક હિંદુસ્તાન પ્રગટતું હોય. જેનો ખમીરવંતો સમયચક્ર ફૂંકાઈ નવયુગ કાજે જયહિંદના શમશેરી ગાણા ગાતો હોય.જેનો ત્રિરંગો  મહાત્મા ગાંધીજીની સાદગીના તાણેવાણે પરોવાઈ અમરત્વની જ દિશા ચીંધતો હોય. એવો આ અલખનો દેશ આઝાદીના અમ્રુતમહોત્સવે ગુજરાતના નવોદિતોની કલમથી ટપકી કાવ્ય અમ્રુત દેશભક્તિ શૌર્ય ગીતોના કુંભ કેમ ન છલકાવે?
  એક સો વીસ કવિઓના દેશ ભક્તિ રસથી છલકાતો આ કુંભ ગુજરાતના ત્રણ લબ્ધ પ્રતિષ્ઠિત કવિઓ જેવા કે અનિલ રાવલ, ડો.મુકેશ જોષી,  કાલિંદી પરીખના   પરીક્ષણમાંથી પસાર થઈને જ આ વિશ્વને હસ્તગત થયો છે.
 
કાવ્ય અમૃતને ઘાટ આપવામાં વર્લ્ડ રેકોર્ડ  બુકના ડિરેક્ટર શ્રી પાવન સોલંકી, સહિત
ચીફ એડીટર કિશોર ભાઈ વ્યાસ, તથા 
ટેકનિકલ એડવાઈઝર સાગર ચૌચેટાએ જમીન આસમાન એક કરી, વિદેશી ધરાને
માતૃભાષાના  ભક્તિ રંગમાં કાવ્યની હેલીઓ
દ્વારા ભીંજવી છે.
 
   વિશ્વ વિક્રમ વિજેતા પુસ્તક તરીકે ખ્યાતિ પામેલ “કાવ્ય અમૃત” હવે એનાં પુનઃ સંસ્કરણના રણશીંગા ફૂંકી રહ્યું છે..એ જ
તો આ સંગ્રહની ઐતિહાસિક સિધ્ધિ છે.
જે કાજે સંપાદક ઈવા પટેલને મારા આ
એક શેરથી સંમાનું છું. 
“અખૂટ ભક્તિના રંગે વતન  સજાવીને.
તમે ય આવો તો આવો કવન સજાવીને.”
સતીન દેસાઈ “પરવેઝ” દીપ્તિ”ગુરૂ” 
એ/3 અભિલાષા ફ્લેટ, પાલડી ,અમદાવાદ.7
9428907775