વિશ્વ કવિતા દિવસ-
સાહિત્યકારનું મન સદાય પ્રકૃતિ અને ગેબી ચેતના ઝીલી ,પ્રસાદી રૂપે
આ સંસારને અમૃત વર્ષાથી ભીંજવે છે. સાહિત્યમાંની વિધવિધતા અનેક
ભાષાઓ તથા સંસ્કૃતિની ધરોહરથી ચીરકાળ શોભતી રહી છે. કવિનું મન
સતત ઢૂંઢતું ઝરણું બની વહેતું રહે છે અને કવિતાના પુષ્પો મનને
સદા સુગંધે બહેલાવતા રહે છે. મારા ‘ઉપાસના’ કાવ્ય સંગ્રહની
મારે એક કવિતા લખવી છે....ની કવિ હૃદયની
આ તડપન પણ ઝીલવાની મજા માણશો….
Thanks to webjagat for these pictures
મારે એક કવિતા લખવી છે.…રમેશ પટેલ(આકાશદીપ)
હું નથી શંકર કે પુનિત હિમાલય
પણ ઊર્મિ ગંગાને મસ્તકે ઝીલવી છે
મારે એક કવિતા લખવી છે
સૃષ્ટિ સરજનહારની અજબ બલિહારી છે
લઈ સપનો રોજ સવારે સૂરજ આવે છે
પા પા પગલીઓ ભૂલકાંઓ દોડી માંડે છે
મારે એક કવિતા લખવી છે
ધવલ ચાંદની સંગે સાગર ઘૂઘવે છે
હાથમાં હાથ પરોવી યુવાની મલકે છે
મન મોજાંને શબ્દ ચાંદની ઝીલવી છે
મારે એક કવિતા લખવી છે
મધ દરિયે ચક્રવાતો જાગે છે
મહા તાંડવ સંગ…
View original post 70 more words