ભારતના ૬૫મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ …ભારત દેશને સુંદર ભૌગોલિક પરિસ્થિતિ સાથે, સમર્થ પ્રજા થકી , ભવ્ય ગૌરવવંતો સાંસ્કૃતિક વારસો મળ્યો છે. સમય સમયે, માનવતાની જ્યોત જલાવતી , દેશ પ્રેમી ને વતન માટે ન્યોછાવર થતી પેઢીઓ જન્મી છે. આવા અમર આઝાદીના લડવૈયાઓના સમર્પણે, ભારત નવયુગની વિશ્વધરોહર બનવા અગ્રેસર થશે, એવી આશા સાથે તેમને વંદન કરી , ૨૬મી જાન્યુઆરીએ ત્રિરંગાને સલામી દઈએ…
એક પ્રજા તરીકે ,રાષ્ટ્રપ્રેમથી વિઘાતક પરિબળો સામે એક સૂરથી ગાઈએ..
This picture was submitted by Gurinder Jeet….with Thanks
શીર સાટે સૌગંધ અમારા, પાવન હિમાલય ગંગા
નહીં ઝૂકીએ, ન ઝૂકવા દઈશું.. તારી શાન ત્રિરંગા
Enjoy……
http://leicestergurjari.wordpress.com/2012/01/25/તારી-શાન-ત્રિરંગા-શ્રી-રમ/
શ્રી રમેશભાઈ સાદર નમસ્કાર, આપનું આ રાષ્ટ્રભક્તિનું ગીત ગાતા આપના ઉદ્દાત ભાવો અને વિચારો સાથે એકરુપ થવાનું સદ્ભાગ્ય મળ્યું અને આ રીતે પ્રજાસત્તાક દિને આપની રચના રજુ કરવા મળી તેની ખુશી અપાર છે..આપના ગીત ને ઉચિત ન્યાય આપવા સહુએ યત્ન કર્યો અને આપે અમારા પ્રયાસને આવકાર્યો તે અમારે મન નોંધનીય વાત છે, આપના પ્રતિભાવ માટે આભાર… જયહિન્દ.
-દિલીપ ગજજર(U.K.)
સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)
………………………………..
કેવો અમારો એ નેતા હતો!…શ્રી મહાવીર ત્યાગીના પુસ્તક ‘નગારખાનામાં તતૂડીનો અવાજ’ (૨૦૦૧)માં લખેલ એક જીવન પ્રસંગ માણીએ…
સરદાર પટેલ…અખંડ ભારતના નિર્માણના શિલ્પી, ને ભાગલાની પરિસ્થિતિમાં ઉદભવેલ ખૂનખરાબીમાંથી, કુનેહભરી રીતે દેશને બહાર લાવનાર સાચા લોકનેતા, ….તેમની અને તેમના સંતાન મણીબેનની, આ દેશ પ્રેમની કહાણી છે….ભારત દેશની પ્રજા તેમની સદાય ઋણી રહેશે
શ્રી મહાવીર ત્યાગી , એક વખત પ્રસંગોપાત શ્રીવલ્લભભાઈને મળવા ગયા. મણીબહેન ..ત્યાં બેઠાં હતાં..ને મહાવીરભાઈએ જોયું કે, સરદારની આ પુત્રીએ , એક મોટા થીંગડાવાળો ખાદીનો સાડલો પહેરેલો. આ જોઈ તેમનાથી બોલી જવાયું..’મણિબેન…રાજા રામનું કે કૃષ્ણનું પણ નહોતું એવડું મોટું રાજ્ય આ ભારતનું , જેના થકી, બનેલું છે , તેમના તમે પુત્રી છો..અકબર કે અંગ્રેજોથીય મોટા ચક્રવર્તી શાસનની ક્ષેમ-કુશળની ધુરા સંભાળતા ,આ સરદારની પુત્રી, થીગડાવાળી સાડી પહેરી , બહાર જશે તો? લોકો શું સમજશે ..એ કહું!
લોકો સમજશે કે કોઈ ભીખારણ જાય છે..લાવો બીચારીને કપડાં પહેરવા બે આના આપું!…તમને મણીબેન શરમ નથી લાગતી.?
સરદાર પણ હળવેથી હસી બોલ્યા..એના બાપ ક્યાં કશું કમાય છે?..થોડા લોકો બબ્બે આના આપશે તોય મોટી રકમ થઈ જશે. ત્યાં સુશીલાબેન નય્યર હાજર હતા..તે કહે…ત્યાગીજી..આ મણીબેન એટલે સવાઈ દેશપ્રેમી દીકરી છે.આખો દિવસ ઊભે પગે સરદાર સાહેબની સેવા કરે છે, ડાયરી લખે છે ને પછી રોજ આ ચરખો કાંતી, એ સૂતરથી સરદાર સાહેબનાં ધોતિયાંને પહેરણ બનાવડાવે છે. સરદાર સાહેબ ખાદીભંડારમાંથી તૈયાર કપડાં લેતા નથી.આ શ્રી સરદાર સાહેબના જૂના કપડામાંથી, સારો ભાગ મણીબેન કાપી લઈ, પાછા તેને ઉપયોગમાં લે છે. સરદારનાં ઉતરેલાં કપડાં પહેરી એ દેશ સેવામાં જ મગ્ન રહે છે.
ત્યાગીજી કહે…હું ત્યાગી .. કે આ દીકરી સાચી ત્યાગી?
સરદાર સાહેબ લાખેણો વહીવટ કરે..પણ એજ ચશ્માંનું જૂનું ખોખું..એક દાંડી લબડેલી, ને ત્રીસ વરસ જૂની ઘડીયાળ!
આવી તપસ્યા ભરી જીંદગી જીવતા લોકનેતાઓથીજ આ દેશ ઊજળો હતો..કેટલા પવિત્ર આત્માઓ આપણા સૌના માટે જીવી ગયા.તેમની પછીની આજની કૌભાંડી નેતાગિરી …પ્રજાની સંવેદનાઓ કેવી રીતે સમજે?…
આભાર-અરધી સદીની વાંચન યાત્રા..સંપાદક શ્રી મહેન્દ્ર મેઘાણી.
………………………………………………………………………………………
ઝૂમે વ્યોમે ત્રિરંગો….રમેશ પટેલ(આકાશદીપ)
છંદ-સ્ત્રગ્ધરા
સંગ્રામે મુક્તતાના, અમર યશધરી, ભેટ દીધી સુભાગી
ઝૂમે વ્યોમે ત્રિરંગો, ફરફર ફરકી, ધન્ય મા ભારતી તું!
પ્રજાસત્ત્તાક ભોમે, સુરભિત કુસુમે, વાયરા હેત ઢોળે
ઝીલી તોપો સલામી, દ્ર્ઢ જન ઉરમાં , ગૌરવી શોભતી તું
ઝૂમે ખેતો જ ધાન્યે, વનવન લહરે, ગાય ગીતો સરીતા
ભંડારા માત ખોળે, સુધન વતન આ, શોભતો દેશ શાખે
ઊડે કેવા વિહંગો, હરખ સભર હો, શાંતિ સંદેશ દેતા
આઝાદીના ઉમંગો, નવલ ક્ષિતિજમાં, ભાવિના ભેખ ભાખે
શિક્ષા પામી યુવાનો, હરણ ચરણથી, ઝીલતા જ્ઞાન આભા
ખૂલે સીમા અનંતા, પરહિત સુખમાં, રાચવું એજ નારો
સેનાની કોટિ હાથે, નભ જલધિ તટે, સંકટો જાય આઘા
ઉત્ત્સવો એજ પૂંજી, શિલ અમન તણા, ભાવના ભાતૃચારો
દે જે તું જોમ ધૈર્ય, જય જય કરવા, શાન તારી ત્રિરંગા
વંદીએ જન્મભોમા, પુલકિત મનડે, માવડી ઓળઘોળા
રમેશ પટેલ(આકાશદીપ)
Aapana aa kavye samgr deshanu citr manaspatalpr tadrshy khadu thai gayu. svatantrata divasani aapanaa sau mitrone anekanek shubhkamanao.
પ્રજાસત્તાક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Republic Day Abhinandan.
Long Live India…Our Bharat Desh.
Nice Post….Desh Prem displayed well !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !
આદરણીયશ્રી. રમેશભાઈ
” રામ ભક્તિની સાથે રાષ્ટ્રભક્તિની પણ જરૂરી છે,
જે આપે રચના દ્વારા સરસ રીતે વ્યક્ત કરેલ છે. “
દે જે તું જોમ ધૈર્ય, જય જય કરવા, શાન તારી ત્રિરંગા
વંદીએ જન્મભોમા, પુલકિત મનડે, માવડી ઓળઘોળા
ગણતંત્ર દિનની શુભકામના સાથે શુભેચ્છાઓ….!
દે જે તું જોમ ધૈર્ય, જય જય કરવા, શાન તારી ત્રિરંગા
વંદીએ જન્મભોમા, પુલકિત મનડે, માવડી ઓળઘોળા
માનનિય રમેશભાઈ, વખાણ કરવા શબ્દો ઓછા પડે છે, ખૂબજ સુંદર રચના, મા ભોમને અંજલી.
આ શ્રી સરદાર સાહેબના જૂના કપડામાંથી, સારો ભાગ મણીબેન કાપી લઈ, પાછા તેને ઉપયોગમાં લે છે. સરદારનાં ઉતરેલાં કપડાં પહેરી એ દેશ સેવામાં જ મગ્ન રહે છે.
ત્યાગીજી કહે…હું ત્યાગી .. કે આ દીકરી સાચી ત્યાગી?
સરદાર અને એમના દીકરી મણીબેનની અજબ સાદગીને સલામ
આજના નેતાઓ આમાંથી કૈક શીખે !
રાષ્ટ્ર ભક્તિનું સુંદર ભાવવાહી કાવ્ય માટે ધન્યવાદ
પ્રજાસત્તાક દિન પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Reblogged this on આકાશદીપ and commented:
મહાન વિભૂતિઓનો ઋણ દેશવાસીઓને મસ્તક છે…