ચૈત્રસુદ પૂનમ….શ્રી રામભક્ત હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ….સંકટ મોચન ..અનન્ય ભક્તિ ,જ્ઞાનના સાગર ને અતુલબલિ પરાક્રમી એવા જય જય શ્રી હનુમાનદાદાના ચરણોમાં ભક્તિપૂર્વક વંદન.
…………………
અંજનીજાયો..હાલરડું
પારણે પોઢેલ બાળ મહાવીર ને સિંહણ જાયો છે વીર
જડે નહીં જગતે જોટો , અવનિએ અવતરીયો મોટો
કેસરી નંદનને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે
ઉર પ્રસન્ન ને આંખ મીંચાણી, અંજની માને સપનું દેખાણું
ભાગ્યવંતી મા ભારત ભૂમિ, દે પવનદેવ લાખેણું નઝરાણું
માત થાશે તારો લાલ બડભાગી
દેવાધી દેવની દેવ પ્રસાદી
ધર્મપથી શક્તિ ભક્તિની મૂર્તિ
પરમેશ્વરની નિત બાંધશે પ્રીતિ
ભવ કલ્યાણી અંજની નીરખે, હરખે ઉર આનંદે મલકે
કેસરી નંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે
પોઢંતો પ્રતાપી વજ્રની શક્તિ
મુખ લાલી ની આભા છે પ્યારી
જડી બુટ્ટી રામની જાણશે જ્યારે
ચારે યુગનો થાશે કલ્યાણી
ભક્ત ભગવાનનાં મિલન થાશે, ભગવદ શક્તિનો સથવારો થાશે
વીર કેસરીની ગર્જનાઓ ગાજશે , દશે દિશાઓ હાંકથી કંપશે
દેવી કલ્યાણી અંજની નીરખે
અમી રસ અંતરના ભાવે ઉછળે
કેસરી નંદને નીંદરું ના આવે
માત અંજની હેતે ઝુલાવે
લાલ તારો મા લાંધશે જલધિ, પવનવેગી એ ઘૂમશે અવની
હિમાળેથી સંજીવની લાવશે ઊડી, અવધપૂરી ગાશે ગાથા રુડી
પનોતી પાસ ન ઢૂંકવા દેશે
રામ ભક્તિથી અમર થાશે
કેસરી નંદને નીંદરું ના આવે
માત અંજની હેતે ઝુલાવે
રમેશ પટેલ(આકાશદીપ)
………………….
હનુમાનજી મહારાજે આખી જીન્દગી રામની વીરાસનમાં ઊભા પગે સેવા કરી. રામ અને હનુમાન પહેલા ઋષ્યમુખ પર્વત પર કયા સંજોગોમાં મળ્યા !.
પ્રેમ અને શ્રદ્ધા કદી પણ શંકા વિનાના હોતા નથી. શંકા, ચિંતા ઊભી કરાવે છે, એટલે એકલો પ્રેમ કદી સફળ થતો નથી હોતો, એની સાથે વહેવાર કુશળતા હોવી જરૂર છે. જ્યારે અનુભવોની દ્રઢતા થાય ત્યારે શંકા નિર્મૂળ થાય. રામે હનુમાનને સાચું રૂપ બતાવ્યું તે દિવસથી હનુમાનજી દાસ થઇ ગયા.
હનુમાનની બે વાતો યાદ રાખવાની, તે સંપૂર્ણ સમર્પણ અને સંપૂર્ણ પરાક્રમ. પરાક્રમ વિનાનું સમર્પણ એ શરણાગતિ-લાચારી છે. હનુમાનજીનું પરાક્રમ અને લંકા ઉપર વિજય થયો
પવન સુત હનુમાનજી ની જીવન ગાથા પ્રેરણાદાયી છે.
હનુમાનજીની કૃપા સર્વ પર બની રહે
વાહ સાહેબ વાહ સાહેબ બળીયા યૌધ્ધા હનુમાન ડાડા નુ હાલરડુ અદભુત રચના
રામ લખમણ જાનકી જય બોલો હનુમાન કી
Reblogged this on આકાશદીપ and commented:
જય જય બજરંગબલિ