અષાઢી બીજ એટલે રથયાત્રાનાં પાવન સ્મરણ…..રમેશ પટેલ(આકાશદીપ)
જુલાઇ 15, 2015 nabhakashdeep દ્વારા
અષાઢી બીજ એટલે રથયાત્રાનાં પાવન સ્મરણ. ભારતમાં ઓરિસ્સાના પુરીની અને અમદાવાદના જગન્નાથજીની રથયાત્રાનો લ્હાવો માણવા જન સાગર હેલે ચડે..દેશ વિદેશથી લોક મહેરામણ ઘૂઘવે. ..ભગવાન જગન્નાથજી ,વીરા બલભદ્ર ને બહેન શુભદ્રા સાથે નગર યાત્રાએ નીકળે ને ભક્તો ભાવથી ઝૂમી ઉઠે . ભારતીય સંસ્કૃતિ એટલે ઉત્સવ થકી જીંદગીને માણવાની પરંપરા.
આ પોષ્ટમાં રથયાત્રાની મજાની કથા સાથે..આવો ભક્તિમાં ઝૂમીએ..વધાવીએ…લાલજીને વીરા ને બહેન સાથે…રથયાત્રાના લ્હાવા રે…….રમેશ પટેલ(આકાશદીપ)
Thanks…Divyabhaskara news….અમદાવાદ
આ વર્ષે જગન્નાથ પુરી જેવા જ મુગટ પહેરી પ્રભુ નગરચર્યાએ નીકળશે, ……
Amadavad..Rathayatra,,,,July 18 2015..138મી રથયાત્રા
: ભગવાન જગન્નાથની ઐતિહાસિક 138મી રથયાત્રા શનિવારે ભવ્યાતિભવ્ય રીતે નિકળશે. રથયાત્રા નિમિત્તે નવુ કલેવર ધારણ કરવાની વિધિની શરૂઆત થઈ છે. વિધિમાં પંચદેવતા, ગ્રામદેવતાનું ષોડશોપચાર વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી. એક ખાસ હવન આવતીકાલે સવારે 4 કલાકે શરૂ કરાશે ત્યારબાદ ભગવાન નવું કલેવર ધારણ કરશે. ગુરુવારે ભગવાન સવારે 8 કલાકે ગર્ભગૃહમાં પ્રવેશ કરશે. આ વખતે અષાઢ અધિક માસ 19 વર્ષ બાદ આવ્યો હોવાથી ભગવાનની પ્રતિમાઓની નવું કલેવર ધારણ કરશે.
…………………………….
સિંહસ્થ કુંભ મેળો …….
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ મહારાષ્ટ્રના રામકુંડમાં મંગળવારે શ્રીગંગા ગોદાવરી મંદિરના કપાટ (દરવાજા) 12 વર્ષ પછી ખુલ્યા અને તેની સાથે જ ધરતીના સૌથી મોટા આયોજનમાંથી એક સિંહસ્થ કુંભ મેળો નાસિક અને ત્ર્યંબકેશ્વરમાં શરૂ થઈ ગયો. મંદિરમાં દર્શન કરવા માટે ગોદાવરી નદીના કિનારે હજારો શ્રદ્ધાળુઓ લાઈનમાં ઊભા રહ્યા. મંદિરમાં પુજારીઓએ દેવી ગોદાવરીની પૂજા-અર્ચના કરી. આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. 12 વર્ષ પછી ખુલતા શ્રી ગંગા ગોદાવરી મંદિર વિશે માહિતી આપતા પુજારી જાદવે જણાવ્યું કે, આ દુનિયાનું પહેલું એવું મંદિર છે જે નાસિકમાં 12 વર્ષે આવતા કુંભ મેળા ચક્ર દરમિયાન જ ખુલે છે. ત્યારબાદ આગામી 12 વર્ષ સુધી બંધ રહેશે. એટલે લોકો આ મંદિરની બહારથી જ પૂજા-અર્ચના કરતા રહે છે.
શ્રીગંગા ગોદાવરી મંદિર સિવાય અહીં કુલ 108 મંદિર છે, અને નજીકમાં જ રામકુંડ પણ છે, જે આ જગ્યાને દેશની સૌથી પવિત્ર જગ્યા બનાવે છે. રામકુંડ મંદિર ભગવાન શિવ સાથે સંબંધિત છે અને કપાલેશ્વર મંદિર દેશનું પહેલું એવું મંદિર છે, જ્યાં મંદિરના પ્રવેશ દ્વાર ઉપર નંદીની જગ્યાએ એક સાંડ(બળદ કે સાંડ) નથી. પુજારી જાદવ આગળ જણાવે છે કે, એકવાર નંદીએ ભગવાન શિવને સલાહ આપી હતી કે જો તેઓ રામકુંડમાં સ્નાન કરે તો બ્રહ્મ-હત્યાના દોષથી મુક્ત થઈ જશે. તેનાથી પ્રભાવિત થઈ ભગવાન શિવે નંદીને પોતાના ગુરુઓમાં સામેલ કરી લીધા અને તેને લીધે કપાલેશ્વર મંદિરની બહાર નંદીની કોઈ મૂર્તિ નથી.
રામકુંડ પણ એક અતિ પવિત્ર જગ્યા છે, જ્યાં 14 વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામ, સીતા તથા લક્ષ્મણે કેટલાક વર્ષો વિતાવ્યા હતા. અહીંથી આઠ કિ.મી. દૂર અંજનેરીની ટેકરીઓ છે, આ એ જ સ્થાન છે જ્યાં ભગવાન હનુમાનને જન્મ લીધો હતો.
રથડે બીરાજજો રણછોડ……રમેશ પટેલ (આકાશદીપ)
ઝૂલે છે હાથીડા ને ઝૂમે છે લોક
રથડે બીરાજજો રણછોડ
દઈએ ઓવારણાં અષાઢી બીજનાં
પધારીને પૂરજો રે કોડ
બહેની સુભદ્રા ને વીરા બલભદ્રજી
મલકે જાધવ કુળની જોડ
અમારી સગાઈ સવાઈ માધવજી
શંખ વાગે ને વધાવે ઢોલ……રથડે બીરાજજો રણછોડ
નગર અમારું આજ ગોકુળ વૃન્દાવન
તમે છોગાળા અમે છેલ
દર્શન તમારાં રૂડાં રે જગન્નાથજી
અક્ષત ગુલાલ માથે હેલ
પ્રેમથી પધરાવશું હૈયામાં લાલજી
છૂટ્યા અજંપા લૂંટ્યા શોર
લાલ પીળા રંગે શોભે આ રથજી
હળવે હાલે હરિ તરબોળ
રથડે બીરાજજો રણછોડ ..મારા રથડે બીરાજજો રણછોડ.
રમેશ પટેલ(આકાશદીપ)
Posted in કવિતા, dharm, http://feedcluster.com/ | 5 ટિપ્પણીઓ
bahu j– sundar bhajan
રથડે બીરાજજો રણછોડ…સુંદર રચના
અમદાવાદમાં જોએલી રથયાત્રાઓ ની યાદ તાજી થઇ ગઈ
જય રણછોડ ,,માખણ ચોર …વાહ શું દિવસો હતા !
પ્રેમથી પધરાવશું હૈયામાં લાલજી
છૂટ્યા અજંપા લૂંટ્યા શોર
લાલ પીળા રંગે શોભે આ રથજી
હળવે હાલે હરિ તરબોળ
રથડે બીરાજજો રણછોડ ..મારા રથડે બીરાજજો રણછોડ. …
સુંદર રચના….
હળવે હાલે હરિ તરબોળ
રથડે બીરાજજો રણછોડ ..મારા રથડે બીરાજજો રણછોડ.
રમેશ પટેલ(આકાશદીપ)
Chandravadan
See you @ Chandapukar
Kavy ane lekh vachine bhaktibhavthi tarbol thai javayu.