ત્રણ કવિ હૃદયનાં મિલન, સાહિત્યધારાનો સંગમ , કેલિફોર્નીઆમાં શ્રી ગોવિંદભાઇ ‘સ્વપ્ન’
અને તેમના બંધુ ચિમનભાઈના સ્નેહ આમંત્રણે સર્જાયા .
સેનડીયાગોથી પધારેલા ‘વિનોદ વિહાર’ બ્લોગથી સૌને સ્નેહ તાંતણે બાંધતા આદરણીય
શ્રી વિનોદભાઈ પટેલ અને હ્યુસ્ટનથી લોસએન્જેલસ પધારેલા(હાસ્ય દરબારી), માનવંતા ડોશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ,
તેમને મળવાનો લ્હાવો લેવા અમે તલપાપડ થયા.શનિવારે તા.૯/૧૨/૨૦૧૨ ના રોજ મળવાનું નક્કી થયું પણ
શ્રી રાજેન્દ્રભાઈને અનુકૂળતા ન હોતી, છેવટે ત્રણ જણાનો યોગ થયો અને..શ્રી ગોવિંદભાઈ ‘ સ્વપ્ન’
રમેશ પટેલ’આકાશદીપ) અને શ્રી વિનોદભાઈ પટેલ ત્રણેનું સ્વપ્ન સાકાર થયું. પેટભરીને જમ્યા ને
હૃદય ભરીને હાલ્યા….
ખીલ્યા ત્રિવેણી સંગમે જ સૂરે….રમેશ પટેલ(આકાશદીપ)
ભોર ભયે આવ્યું સ્વપ્ન મુજને,
સ્વપ્ન એ દૈવી સાચું જ થયું
વાહ! તમારી લીલા જ ગોવિંદ
સન્મુખ વિનોદી હાસ્ય જ સર્યું
દીપ જ આકાશનો કેવો ઉજાશે
ડૂબ્યો ‘સ્વપ્ન’ માં ઝીલી ગોવિંદ
વિહારી ઘેલમાં છે વિનોદરાયજી
મિત્રો ત્રણે બ્લોગના એક પિંડ
રે સુભગ ઓ ઘડી! સ્વપ્નસી
મળ્યા રે ભાવ ભરતા જ ઉરે
ઉછાળ્યા તરંગો મા ગુર્જરીના
ખીલ્યા ત્રિવેણી સંગમે જ સૂરે
રમેશ પટેલ(આકાશદીપ)