માનવીનું હૈયું એટલે સંવેદના લાગણીનો ખજાનો. જે કોઈ સંપર્કમાં આવે તેની
મધુરી યાદો એ જીવનનું સંભારણું બનતું જાય. ઘર ,ગામ અને દેશ સાથેનો એ નાતો
ગગનગામી બની દરિયાપાર જાય તો પણ છેવટે કુટુમ્બ ઘરની મીઠાશ જ તેને શાતા આપે.
માળાની મોટાઈ દ્વારા એ ભાવને મણીએ…
માળાની મોટાઈ…..રમેશ પટેલ(આકાશદીપ)
હાલને ભેરુ મીઠડા દેશે
સાદ પાડે છે કોઈ
ગમતું ગામ ગમતી શેરી
ગમતું એમાં કોઈ
રૂપલી વાતો રંગીલી યાદો
ઝરુખે ઝુમતી જોઈ
નાનકી વાટે હેતના તેડા
જાશું રે એમાં ખોઈ
મ્હાલશું મેળે નદી તીરે
જાશું રે હરખાઈ
ઢોલને તાલે નાચશું હોંશે
ઝીલશું રે જોબનાઈ
થાશું પંખી ઉડશું ગગન
કરશું પ્રેમની પરખાઈ
સાંજ પડે રે આવશું પાછા
માણશું માળાની મોટાઈ
રમેશ પટેલ(આકાશદીપ)
પ્રેમભર્યો તર્સ્યો પોકાર…અદ્ભૂત.
થાશું પંખી ઉડશું ગગન
કરશું પ્રેમની પરખાઈ
સાંજ પડે રે આવશું પાછા
માણશું માળાની મોટાઈ
સરસ રચના, અભિનંદન
પ્રા.ભરત ચૌહાણ
[…] આકાશદીપ […]
થાશું પંખી ઉડશું ગગન
કરશું પ્રેમની પરખાઈ
સાંજ પડે રે આવશું પાછા
માણશું માળાની મોટાઈ
sundara peom..like it..
થાશું પંખી ઉડશું ગગન
કરશું પ્રેમની પરખાઈ
સાંજ પડે રે આવશું પાછા
માણશું માળાની મોટાઈ
વાહ વાહ મઝાની વાત
આદરણીય શ્રી રમેશભાઈ,(આકાશદીપ)
થાશું પંખી ઉડશું ગગન
કરશું પ્રેમની પરખાઈ
સાંજ પડે રે આવશું પાછા
માણશું માળાની મોટાઈ
માનવ પશુ પક્ષી હરેક પ્રસંગને માણે પણ આખરે
ધરતીનો છેડો ઘર એમ માળા રૂપી વિસમને ખોળે
જયારે આવે ત્યારે હૈયાને અતિ આનંદ થાય છે.
ખુબ સરસ ભાવ ભરી રચના
ધરતીનો છેડો ઘર …
By
અશોકકુમાર- ‘દાસ’
– July 4, 2011………..http://desais.net/das/
શ્રધ્ધા…પ્રેમ….શાંતિ.’….Pl read more….(Thanks to Resp. Shri Ashok kumar)
ચિતારાના મનમાં બીજો પ્રશ્ન ઉદભવ્યો : ‘ ગૃહણીને જ ઘર કહ્યું છે ને ! પત્ની એ તો પ્રેમની વેલી. આ પ્રેમને છોડીને હું પ્રેમને ક્યાં ગોતવા જાઉં ?’
પત્નીએ આછેરા સ્મિતથી પતિનું સ્વાગત કર્યું. પત્નીના હાથનું મીઠું મીઠું પાણી પી, જરા આડે પડખે થયો ત્યારે તેણે પરમ શાંતિ અનુભવી. પથારીમાં પડ્યાં પડ્યાં ચિતારાને વિચાર આવ્યો: ‘અરે, હું યે કેવો ભૂલકણો છું? કેડમાં છોકરું હોવા છતાંય આખા ગામમાં ઢૂંઢવા માંડ્યું. દુનિયાની સૌથી ઉત્તમ વસ્તુ શોધવા માટે હું જ્યાં-ત્યાં આથડી રહ્યો છું, પણ સૌથી સુંદર વસ્તુ તો પોતાનું ઘર જ છે.
ઘર એટલે શ્રધ્ધા, પ્રેમ, અને શાંતિનો ત્રિવેણી સંગમ. એટલા માટે જ તો અનુભવીઓએ ઘરને ‘ધરતીનો છેડો’ (એન્ડ ઓફ અર્થ) કહ્યો છે. માણસ આખી દુનિયામાં રખડશે, પણ ઘર જેવાં પ્રેમ અને શાંતિ એને ક્યાંય નહિ મળે. માટે જ લોકકવિએ ઘરને ‘સૌથી ગળ્યું’ કહ્યું છે. માટે હું મારા ઘરને જ દુનિયાની સૌથી સુંદર વસ્તુ તરીકે ચીતરીશ.’
ચિતારાએ પોતાની સમગ્ર કળા ઘરનું જીવંત ચિત્ર દોરવા પાછળ ખર્ચી નાખી.
વસ્તુ તરીકે ચીતરીશ.’
ચિતારાએ પોતાની સમગ્ર કળા ઘરનું જીવંત ચિત્ર દોરવા પાછળ ખર્ચી નાખી.
આખરે એણે એક અનુપમ ચિત્રનું સર્જન કર્યું.
ધરતીનો છેડો ઘર …
Posted on July 4, 2011 |
ધરતીનો છેડો ઘર … એક અચ્છો ચિતારો (ચિત્રકાર) હતો. એકમેકથી ચઢિયાતાંઅનેક ચિત્રો દોરેલાં, પણ એનાથી એને સંતોષ ન થયો. એક સર્વાંગસુંદર ચિત્ર દોરવા માટે એનો આત્મા તલસી રહ્યો હતો. એવા…
Continue Reading…
(Thanks to Resp. Ashok kumar)
આદરણીય શ્રી રમેશભાઈ,
આપના બ્લોગ પોસ્ટ પર અમોને સ્થાન આપી ઋણી કર્યાં છે. આપનો આભાર માણવો આ જગ્યા એ યોગ્ય નથી લાગ્તું મને, આપને અમારા વંદન હો.બસ આપની રચનાઓ જ આપણું હૃદય છે.
ધન્યવાદ.
પ્રિય રમેશભાઈ;
પ્રેમ;
ખુબ સુંદર રચના. વતન વિરહની આગ અને પ્યાસ નીજ ઘરની, બન્ને નીતરે છે. આવીજ વિરહ આગ અસલી ઘરની ભિતર ભભૂકે એવી શુભેચ્છાઓ.
પ્રભુશ્રિના આશિષ.
શરદ