ૐ નમઃ શિવાય “ ….સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)
મહાશીવરાત્રી-મંગલ રાત્રી, ભારતભરના શીવ મંદિરો ને જૂનાગઢની ધરા હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. જગતના શ્રેય માટે , હળાહળને પી જઈ ગળામાં ધારણકરનાર નીલકંઠ મહાદેવના ચરણોમાં ભક્તીથી રટીએ.. !! ૐ નમઃશિવાય !!..
|
શિવજી-સદા મંગલકારી સ્વરૂપ. ભારતમાં દ્વાદશ જ્યોતિર્લિગ એટલે જ્યોતિ સ્વરૂપ શિવના પ્રતિક રૂપ સ્વયંભૂ પ્રાગટ્ય.
–-ભારત ભૂમિને પાવન ચેતનાથી આભૂષિત કરતો મંત્ર…” ૐ નમઃ શિવાય ” આજે હરહર મહાદેવના રટણથી
શીવરાત્રીએ કલ્યાણકારી ભાવનાથી સૌને પરમેશ્વરના સાનિધ્યમાં લઈ જશે.
Thanks to webjagat for this picture.
ભારતભરમાં બાર જ્યોતિર્લિંગની તીર્થ યાત્રા એટલે ભારતીય સંસ્કૃતિની સુવાસ….
૧) સોમનાથ ૨) મલ્લિકાર્જુન ૩) મહાકાલેશ્વર ૪) શ્રી ૐકારેશ્વર ૫) વૈદ્યનાથ ૬) ભીમ શંકર
૭) રામેશ્વર ૮) નાગેશ્વર ૯) કાશીવિશ્વનાથ ૧૦) ત્રંબકેશ્વર ૧૧) કેદારનાથ ૧૨) ઘુશ્મેશ્વર
નવકાર મંત્રના ટૂંકું સ્વરૂપનું ચીંતન કરીએ જે સર્વદા મંગલ કારી છે.
ૐ —अ–अ–आ–उ–म એનું ભેગું સ્વરૂપ છે.
અ–અરિહંત– જેને ક્રોધ ,માન માયા ને લોભ રૂપી દુશ્મનો હણી નાખ્યા છે એ કેવળ જ્ઞાની .
પ્રત્યક્ષ દર્શન દે અરિહંત ભગવાન.
અ–અદેહી સિધ્ધ–મોક્ષમાં બિરાજેલા સિધ્ધ જે વિદેહી..નામ દેવાથી પુણ્ય બંધાય.
આ– આચાર્યા –આત્મ દશા પ્રગટ થયેલી હોય
ઉ–ઉપાધ્યાય–જેને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે જે બીજાને ઉપદેશ આપી અભ્યાસ કરાવડાવે છે.
મ–મુનિ..સાધુ..આત્મ દશા સાધે તે સાધુ..એમને આત્માની પ્રતીતિ બઠેલી છે તે.
આજે શીવજીનું ધ્યાન સ્મરણ સાથે જીવનમાં પવિત્રતા વધે એવું આચરણ કરી સૌના સુખમાં સુખી થઈએ.
(આભાર–અક્રમ વિજ્ઞાન)
સંકલન–રમેશ પટેલ(આકાશદીપ)
તમેરે દયાળુ દેવ શીવજી…રમેશ પટેલ(આકાશદીપ)
તમેરે દયાળુ દેવ શીવજી
જગ કલ્યાણે જટાએ ઝીલ્યા ગંગ
ભગીરથનાં ફળ્યાં રે તપડાં
ત્રિપથગાએ પાવન કીધાં ધરણી અંગ
માત પાર્વતી પુનિત પાવની
તમારે શરણે થાય સુખિયાં જીવન
ધન્ય ભાગ્ય ખીલ્યાં ભરત ક્ષેત્રના
હર હર નાદે ગુંજાવશું તપોવન
કરજો સુખિયાં અમને આજીવન
રમેશ પટેલ(આકાશદીપ)
આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ )
માત પાર્વતી પુનિત પાવની
તમારે શરણે થાય સુખિયાં જીવન
ધન્ય ભાગ્ય ખીલ્યાં ભરત ક્ષેત્રના
હર હર નાદે ગુંજાવશું તપોવન
કરજો સુખિયાં અમને આજીવન
ઓમ નમઃ શિવાયના મંત્રનું વિસ્તૃત વર્ણ અનેરું અનોખું અને જાણવા જેવું
ભક્તિ રસના કુશળ કવિએ ભક્તિ રસ ખુબ મઝાનો પીવડાવ્યો.
ૐ નમઃ શિવાય “ૐ નમઃ શિવાય “ૐ નમઃ શિવાય “ૐ નમઃ શિવાય “ૐ નમઃ શિવાય “ૐ નમઃ શિવાય “ૐ નમઃ શિવાય “ૐ નમઃ શિવાય “ૐ નમઃ શિવાય “ૐ નમઃ શિવાય “ૐ નમઃ શિવાય “
કહેવાય છે કે સૌથી પહેલાં શંકરભગવાનના મુખમાંથી જે શબ્દ નીકળ્યો
તે બ્રહ્મનાદ હતો ૐ અને આ ધ્વનિ આખા બ્રમ્હાન્ડમાં ગુજવા લાગ્યો.
ૐ માં આખુ બ્રમ્હાન્ડ સમાએલુ છે . અને ૐ નમઃ શિવાય મંત્ર તો
શક્તિશળી અને પાવનકારી છે.
રમેશભાઈ, ખરેખર સુન્દર રચના .આપે સર્વેને ભક્તિભાવથી તરબોળ
કરી દીધા .
આદરણીય શ્રી રમેશભાઈ,
દાદા ભગવાનનું જ્ઞાન અને આપની રચના જાણી અને માણી ,,,
અરરિહંત અને ઓમકાર નો સમન્વય સાધી અને જે જ્ઞાન અકર્મ -વિજ્ઞાન માં આપેલ છે તે જાણી ખુશી થઇ.
સત્ય ને અનેક રીતે સમજાવી શકાય છે અંતે તો તે સત્ય જ રહે છે અને જે આપણા સંતો આપણને સમજાવવા કોશીશ કરે છે.
Thanks-Divyabhaskar
હિન્દુધર્મમાં મંત્રોનું વિશેષ મહત્વ છે. આ મંત્રોના માધ્યમથી અનેક વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. ધર્મશાસ્ત્રોમાં એક એવા મંત્રનો ઉલ્લેખ છે જે માત્ર એક જ અક્ષરનો છે. તેને એકાક્ષર મંત્ર પણ કહે છે. આ મંત્રમાં સંપૂર્ણ સૃષ્ટિ સમાયેલી છે.
તેને ઓમકાર મંત્ર પણ કહે છે.
ऊँ પ્રણવ અક્ષર છે. એમાં ત્રણ દેવ અર્થાત્ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની શક્તિ સમાહિત છે. ऊँ ને નિરાકાર બ્રહ્મનું સ્વરૂપ માનવામાં આવે છે. ऊँ ની ધ્વનિ એક એવી ધ્વનિ છે જેના તરંગ ખૂબ જ પ્રભાવશાળી હોય છે. ऊँ ના ઉચ્ચરણથી અનેક ફાયદા થાય છે જેમ કે…
-વિભિન્ન ગ્રહો તરફથી આવતી અત્યંત ઘાતક અલ્ટ્રાવાયોલેટ કિરણોનો પ્રભાવ ऊँ ની ધ્વનિની ગૂંજથી સમાપ્ત થઈ જાય છે. અર્થાત્ બીજા વિશેષ ઉપાય વગર જ માત્ર ऊँ ના જાપથી જ અનિષ્ટ ગ્રહોનો પ્રભાવ ઓછો થઈ જાય છે.
– ऊँ નું ઉચ્ચારણ કરનારના શરીરમો વિદ્યુત પ્રવાહ આદર્શ સ્તરે પહોંચી જાય છે.
-તેના ઉચ્ચારણથી માણસના વાક્સિસિદ્ધ પ્રાપ્ત થાય છે.
-ઊંડી ઊંઘ આવવા લાગે છે. સાથે જ અનિદ્રાની બીમારીથી હંમેશા છૂટકારો મળી જાય છે.
-મન શાંત થવાની સાથે જ મગજ તણાવથી મુક્ત થઈ જાય છે.
i like ur blog
ૐ નમઃ શિવાય