મારા વતન મહિસાની સુવાસ…રમેશ પટેલ(આકાશદીપ)
૧૯મી મે ,૧૯૭૨ માં અમે પ્રભુતામાં પગલાં માંડી, જીવન નૈયા હંકારી, આજે ૪૧મી અમારી લગ્નતિથિ એ અમારા વતન ગામ મહિસાના આ સમાચાર સાથે, જેના પૂરક સહયોગી કુટુમ્બોમાં અમે પણ સાનંદ ભાગીદાર છીએ ,
હરખ વધામણા દઈએ છીએ..રામ રાખે તેમ રહીએ…
રમેશભાઈ અને સવિતાબેનનાકેલિફોર્નીઆ)થી જય ગુજરાત..જય યોગેશ્વર.
જમીન વાત્સલ્યગ્રામ પ્રોજેક્ટ’ ના શુ’ભકાર્ય માટે…અમારા મહિસા ના પટેલ પરિવારનો વિશાળભૂમિ માટે સહયોગ.
20મીની સાંજે ચાર વાગ્યે મહિસા( અલિણા, ડાકોર પાસે)ગામે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાવાનો છે….વાત્સલ્યગ્રામ પ્રોજેક્ટનો પ્રયોગ દુનિયામાં પ્રથમવાર.
પધારશે…
શ્રી નરેન્દ્રભાઈ મોદી(મુખ્યમંત્રીશ્રી ગુજરાત)ની હાજરીમાં કરાશે ભૂમિ પૂજન
આ પ્રસંગે સાધ્વી ઋતંભરાજી(દીદીમા), અતિથિ વિશેષ તરીકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેશે. તેમજ મોરારિ બાપુ, ઇન્દિરા બેટીજી આશીર્વચન આપશે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પૂજ્ય પરમાનંદજી બિરાજશે.
-અનોખા પરિવારની ભાવનાથી મોદીના ગુજરાતમાં નિર્માણ પામશે વાત્સલ્યગ્રામ -વાત્સલ્યગ્રામ પ્રોજેક્ટનો પ્રયોગ દુનિયામાં પ્રથમવાર થઈ રહ્યો છે -વાત્સલ્યગ્રામમાં નાના નાના ગામડાઓ બનાવવામાં આવશે. -પ્રથમ ચરણમાં 150 મકાન બનાવવામાં આવશે. -એક ઘરમાં પાંચ દિકરીઓ, બે દિકરા, મા, માસી અને નાની હશે એક દાદા પણ હશે.
ગુજરાતના ડાકોર પાસે અનાથ આશ્રમમાં રહેતા બાળકો, નારી નિકેતનમાં રહેતી બહેનો અને વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને એક ઉત્તમ પરિવાર આપવાના હેતુ સાથે દુનિયામાં પહેલીવાર વાત્સલ્યગ્રામ ઊભું કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. અહીં પારકા લોકોને એક ઘરમાં રાખવામાં આવશે અને તેમનામાં પારિવારિક ભાવનાનું સિંચન કરવામાં આવશે. આમ એક ઉત્તમ પરિવારનું નિર્માણ કરવામાં આવશે, તેમ આજે અમદાવાદ આવેલા સાધ્વી ઋતંભરાજીએ કહ્યું હતું અને આ સાથે જ તેમણે વાત્સલ્યગ્રામની ઘોષણા કરી હતી હતી.
સાધ્વી ઋતંભરા એપ્રિલ 2010માં ગુજરાત આવ્યા ત્યારે તેઓએ વાત્સલ્યગ્રામ ગુજરાતની પરિકલ્પના બનાવી હતી. જે હવે સાકાર થશે. એક આદર્શ કુટુંબની ગરજ સારતું આ વાત્સલ્યગ્રામનું ભૂમિ પૂજન આગામી 20મી મેએ થવાનું છે.
(With thanks to Divyabhaskara)..A news
……………………………………….
-ચરોતરના મહિસામાં 80 વીધા જમીનમાં વાત્સલ્ય ગ્રામનું નિર્માણ થશે
-અઢી લાખ ચોરસફૂટમાં ૧૫૦થી વધુ મકાનો તૈયાર થશે
આપણે તો બીબાઢાળની મર્યાદાઓમાં છીએ… સમાજમાં દુ:ખી, દરિદ્રને જોવાનો દ્રષ્ટિકોણ છે… ત્યારે આ વાત્સલ્યગ્રામ દરિદ્રનારાયણ પ્રત્યે ગુજરાતમાં નવું છોગું ઉમેરશે. હાલ દેશમાં સ્વામી વિવેકાનંદજી ૧૫૦મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. તેઓનું સ્વપ્ન દરિદ્રનારાયણની સેવાનું જ હતું. આજ સ્વપ્નને સાધ્વી ઋતુંભરાજી વાત્સલ્યગ્રામ બનાવી સાકાર કરવા જઈ રહ્યા છે, તેમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાત્સલ્ય ગ્રામભૂમપિૂજન પ્રસંગે જણાવ્યું હતું. આગામી દિવસોમાં આ વાત્સલ્યગ્રામ સાચા અર્થમાં કર્તવ્યપારાયણ માટેનું ઉત્તમ તીર્થગ્રામ બનશે. ગુજરાત કર્તવ્યભાવનાને જગાવવામાં ક્યારેય પાછી પાની નહીં કરે.’
આ પ્રસંગે સાધ્વી ઋતુંભરાજીએ જણાવ્યું હતું કે ‘અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ અને મહિલાશ્રમના પર્યાય સ્વરૂપનું આ વાત્સલ્ય ગ્રામ બનશે. અહિંયા આવનારને ક્યારેય લાચારીનો અનુભવ નહીં થાય. વાત્સલ્ય ગ્રામમાં સંસ્કારની સાથે જિંંદગીનો સાચો અર્થ સમજાવવામાં આવશે અને તેનાં જીવનને સાર્થક બનાવવા માટેના પ્રયત્નો થશે.’
આ પ્રસંગે ગોસ્વામી ઈન્દિરાબેટીજીએ પોતાના વૃદ્ધત્વમાં દેશની ધુરાનું સુકાન હવે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં આવે અને સમગ્ર ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, તે જ પ્રકારે દેશનો પણ વિકાસ થાય તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સારસાપૂરી સત્કેવલ ધામના આચાર્ય પૂ. અવિચલદાસજી મહારાજ, ગીતાદીદી (વડોદરા), ચૈતન્ય શંભુ મહારાજ (અમદાવાદ), દિલીપદાસજી મહારાજ (અમદાવાદ), મોહનદાસજી મહારાજ (થલતેજ) સહિત મોટી સંખ્યામાં સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીરઃ નરેન્દ્ર ગનવાણી(Thanks..Divyabhaskar)..A news





