આ સુંદર ધરા પર સુંદર સંસ્કૃતિઓએ માનવ ગરિમાઓ વધારી.
આદર , અહિંસા ને કરૂણાનો મહિમા જ્યાં ક્ષીણ થતો ગયો, હિંસા, લોભ ને પાપનો તાપ
આ ધરાને ઘેરવા લાગ્યો. આટલી સુવિધાઓ પછી પણ માનસિક પરિતાપો
વધતા જાય છે. માનવીએ હવે અંતરાત્માને ઢંઢોળવો પડશે તો આ માઠાં
પરિણામોથી બચી શકાશે. કુદરતી સમતોલન તૂટતાં તેનાં વિપરિત પરિણામો
મહાવિનાશક બનવા ડોકાયા કરી રહ્યા છે તેથી અજાણ થવું એ આ જગતને
ભારે પડશે જ…

(Thanks for this picture to webjagat)
છે કિનારા બે જુદા……રમેશ પટેલ(આકાશદીપ)
ગઝલ છંદ વિધાન–ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
ધર્મ મારો ધર્મ તારો , છે કિનારા બે જુદા
જલ વહાવે એક બંને , સત્ય એ સાચું બધે
વાત મારી વાત તારી, રોજ હું રટતો રહું
જો અમારી વાતથી ડગ, જગ રમે ન્યારું બધે
રંગ ખીલી સાંજ વ્યોમે આવકારે રાતને
જાણતી એ ભોર થાયે મંગલા પ્યારું બધે
દૂર વ્યોમે સૂર્ય જલતો, તપત સાગર આ ધરા
મેઘ જ્યારે નાચશે લીલી ધરા ચારું બધે
સાત સાગર સાત ખંડો રોજ નોંખા પાડતો
જો વિચરું વ્યોમે હું, છે મારી ધરા ચીતરું બધે
ગોખમાં ‘દીપ’ જલતો ને અશ્રુ પશ્ચાતાપના
તેજમાં શ્રધ્ધા ભળે તો સંગ તવ ભાળું બધે
રમેશ પટેલ(આકાશદીપ)